Nation on the March

Nation on the March
Nation on the March

Aug 19, 2012

ગીતાંજલી


ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પોતાના નોબેલ   પ્રાઈઝ થી સન્માનિત કાવ્ય  સંગ્રહ ગીતાંજલીમાં એક નાની  મજાની  વાત કહે છે:
 
અંગ્રેજીમાં:
The child who is decked with prince's robes and who has jewelled 
chains round his neck loses all pleasure in his play; 
his dress hampers him at every step.
In fear that it may be frayed, or stained with dust he keeps
himself from the world, and is afraid even to move.
Mother, it is no gain, thy bondage of finery, 
if it keep one shut off from the healthful dust of the earth, 
if it rob one ઓફ the right of entrance to the great fair of common human life.
 માતા પિતા પોતાના વ્હાલા શિશુ ને ખુબ ઉમંગભેર સારાં વસ્ત્રો આભૂષણો થી સજાવી ને પોતાનો આનંદ વ્યક્ત કરે છે ત્યારે એ શિશુ ના મન ની વાત આ સંવેદનશીલ  જ સમજી શક્ય હોય તેવું આ   કાવ્ય માં દેખાઈ આવે છે.
 " માડી, મારે આવા શણગાર શું કામના? 
તું મને તો રાજકુંવરની જેમ તૈયાર કરીને રમવા મોકલે છે પરંતુ મારો રમવાનો બધો આનંદ ક્યાય ગાયબ થઇ જાય છે. મને આ રેશમી વસ્ત્રો, આ દાગીના બધાનો એટલો ભાર લાગે છે કે હું હળવો  ફૂલ થઈને રમવા ચાહું છું તે તોહું  કરી શકતો  નથી. 
આવા મોંઘા દાટ કપડાને સાચવી સાચવી ને પહેરવાના, ના તો એને ડાઘ લાગવો જોઈએ ના તો એ રમત રમતમાં ફાટવું  જોઈએ, 
મારે તો એની ચિંતામાં  બધાથી દુર જ ઉભા રહેવાનો વારો આવે છે. હું  કોઈને પાછળ દોડીને પકડ દાવ પણ નથી રમી શકતો. 
 હું તો ચાહું  કે તું જેવું ઘરનું બારણું ખોલે ને હું સડસડાટ રસ્તા ઉપર દોડી જાઉં, તાપમાં, ધૂળમાં, કાદવ કીચડમાં મન મુકીને રમું,
આખો દિવસ કેટલા બધા બાળકો ત્યાં ધમાચકડી કરતા હોય છે, એમાં હું ભળી જાઉં. 
વિશ્વ વીણાની   હજારો સુરાવલીઓ જ્યાં ગુંજે છે, પ્રકૃતિ  પોતાની છટા જ્યાં છલકાવે છે ત્યાં મને રેશમી વસ્ત્રો અને આભૂષણો માં શણગારીને દિલ ખોલીને  રમવાનો મારો અધિકાર તું છીનવી લઈશ મા.સાચું કહે , માડી, મારે આવા શણગાર શું કામના? "
કેવી સરસ અને સરળ છતાંય સચોટ અભિવ્યક્તિ!

એ જમાનામાં , સો વરસ પહેલા, રેશમી વસ્ત્રો ને આભૂષણો પહેરાવી સુખી ઘરની માતાઓ બાળકો ને તૈયાર કરી રમવા મુકાતી. હવે તો કાંડા ઘડિયાળ , મોંઘા જીન્સ, ગોગલ્સ, વિડીઓ ગેમ્સ , ઈત્યાદી  જ આભૂષણો બની gayaa  છે. નિશાળમાં તો મોબાઈલ ફોન વડે પણ પોતાની બડાઈ હાંકી શકાય છે. ગણવેશ નો અર્થ જ એ હતો કે શાળામાં રંક અને રાય ના બાળકો સમાન દેખાય, સમાન ગણાય  અને એક બીજા માં હળે ભળે. આજકાલ તો શાળા જ આ વિફરી છે. ટાગોર ના શાંતિનિકેતન ની હોસ્ટેલની ગૃહમાતાએ ઘૃણાસ્પદ રીતે એક છાત્રા સાથે વ્યવહાર કર્યો તો બીજી બાજુ દક્ષિણ ભારતની કોઈ શાળાએ ગરીબ બાળકો સહેલાઈથી ઓળખાઇ જાય તે માટે તેમના વાળની લટો કાપી નાખ્યાના સમાચાર પણ વાંચ્યા છે.

કુમળા બાળકોની મનોસ્થિતિ અંદ જરૂરીયાત સમજવા જેટલી સંવેદના માતા પિતા, પરિવારજનો  અને શિક્ષકો મા હોય તે કેટલું જરૂરી છે તે તો  ગુરુદેવ ટાગોર અને ગુજરાતના પૂ. ગિજુભાઈ બધેકા              (વાલીઓમાં અને શિક્ષણ  જગતમાં વહાલપૂર્વક જેમને બાળકોની "મૂછાળી મા" તરીકે ઓળખવામાં આવે છે) આપણને સમજાવી ગયા છે. બસ, આપણે તો માત્ર તેને યાદ રાખવાનું છે અને અમલમાં મુકવાનું છે.


No comments:

Post a Comment

Please leave your impression here by way of a comment. Thanks. deepak